IND vs PAK : ‘મહા મુકાબલા’ પર વરસાદનો ખતરો! મેચ ધોવાય તો ફાયદો કોને?

0
109

15 ફેબ્રુઆરીએ એટલે કે રવિવારે ટી20 વર્લ્ડ કપમાં ભારત-પાક વચ્ચે મહા મુકાબલો થવાનો છે. જો કે, તે પહેલા ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વેધર રિપોર્ટ અનુસાર શનિવારે કોલંબોમાં વરસાદની 93 ટકા શક્યતા છે, જે મેચના સમય તેમજ ઓવર્સને અસર કરી શકે છે. આ મેચમાં માત્ર જીત જ નહીં પણ ગ્રુપ Aમાં ટોચનું સ્થાન પણ દાવ પર છે.

ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમે તેમની પાછલી મેચમાં નામિબિયાને 93 રનથી હરાવીને શાનદાર વિજય મેળવ્યો હતો. ઇશાન કિશનના ઝડપી 61 રનની મદદથી ભારતે પાવરપ્લેમાં 86 રન બનાવ્યા હતા, જે અત્યાર સુધીનો ટુર્નામેન્ટનો સૌથી વધુ પાવરપ્લે સ્કોર છે. બીજી તરફ પાકિસ્તાને પણ બંને મેચ જીતી છે અને નેટ રન રેટમાં ભારતથી થોડી પાછળ છે. આ મેચ ગ્રુપ Aમાં નંબર વન સ્થાન નક્કી કરશે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોમાં ફક્ત ICC અને ACC ટુર્નામેન્ટમાં જ મળ્યા છે. છેલ્લે બંને ટીમો 2025 એશિયા કપની ફાઇનલમાં ટકરાઈ હતી, જ્યાં ભારતે પાંચ વિકેટથી જીત મેળવી હતી.