રાજ્યમાં ST વિભાગ 1100 વધુ બસ દોડાવશે

0
1545

ST વિભાગે 1100 વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. તહેવારને લઇને ST વિભાગને દોઢ કરોડ જેટલી આવકનો અંદાજ છે. તંત્ર દ્વારા સૌથી વધુ બસ સૌરાષ્ટ્રમાં દોડાવવામાં આવશે. ગત વર્ષે પણ ST વિભાગે તહેવારમાં વધુ બસ દોડાવી હતી.

આમ તહેવાર તેમજ જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં લઇને આ વર્ષે ST વિભાગે 1100 વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. હાલ સૌરાષ્ટમાંર સાતમ આઠમને લઇને લોકમેળાનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવે છે.

જેને લઇને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓનો આ મેળામાં જઇ રહ્યાં હોય છે ત્યારે મુસાફરીમાં વધારાને ધ્યાનમાં લઇને એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તરફ 1100થી વધુ બસ દોડાવાવનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here