PM વાયબ્રન્ટ નવરાત્રિમાં મા અંબાની આરતી ઉતારશે

0
1295

50મી જન્મજયંતિ નિમિત્તે પીએમ મોદીએ આજે સાંજે 5.45 કલાકે અમદાવાદ આવશે. જ્યાંથી મોદી સાંજે 6.30 થી 6.50 કલાક દરમિયાન ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યાર બાદ વડાપ્રધાન સાંજે 7થી 8.20 કલાક સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રિવરફ્રન્ટ ખાતેના યોજાયેલા દેશના 20 હજારથી વધુ સરપંચોના મહાસંમેલનમાં મોદી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયામુક્ત જાહેર કરશે. ત્યારબાદ મોદી 8.30 કલાકે અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં મા અંબાની આરતીમાં ભાગ લેશે અને શેરી ગરબા નિહાળશે. અને રાત્રે 9.30 કલાકે નવી દિલ્હી જવા રવાના થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here