ગાંધીનગરમાં એક જ દિવસમાં 39 પોઝિટિવ કેસ, એકનું મોત

0
397

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 39 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી કલોલના વૃદ્ધનું મોત નિપજ્યું છે. નવા નોંધાયેલા કેસમાં કોરોના વોરિયર્સ સ્ટાફ નર્સ, મેડિકલ સ્ટોર્સનો દુકાનદાર, સુપર સ્પ્રેડર શાકભાજી-ફ્રૂટવાળા અને કરિયાણાના વેપારીઓ સંક્રમિત થયા છે.જિલ્લામાં અગાઉ એક દિવસમાં સૌથી વધુ 20 કેસ નોંધાયા હતા. ત્યારબાદ બુધવારે એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 39 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં ગાંધીનગર મનપા વિસ્તારમાં 6, ગ્રામ્યમાં 6 જ્યારે કલોલ તાલુકામાં 15, દહેગામ તાલુકામાં 7 અને માણસા તાલુકામાં 5 કેસ નોંધાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્ટાફ નર્સ, મેડિકલ સ્ટોર્સનો દુકાનદાર પણ કોરોનાથી સંક્રમિત બન્યાં છે. આ ઉપરાંત 4 કરિયાણાના વેપારી, બે શાકભાજીના વેપારીઓ, એક ફ્રૂટનો વેપારી કોરોનાનો ભોગ બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here