સિરિયલ કીલરે કરેલી ચોથી હત્યાના મૃતક વિશાલનું કંકાલ મળ્યું 

0
884

ગાંધીનગરમાં એક બાદ એક ત્રણ હત્યા કરનાર સીરિયલ કિલર મદન નાયક ઉર્ફે મોનીસે સીઆઇડી ક્રાઇમની પૂછપરછમાં સ્વીકારેલ ચોથી હત્યા મામલે આજે પોલીસને પુરાવા હાથ લાગ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી મથી રહેલી પોલીસને આજે હત્યાનો ભોગ બનેલા વિશાલ પટેલના કંકાલ મળ્યા હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. જેના પગલે સીઆઇડી ક્રાઇમ અને સ્થાનિક પોલીસે તપાસની કાર્યવાહી તેજ કરી છે.
ગાંધીનગરમાં 3 વ્યક્તિને માથામાં ગોળી મારી હત્યા કરી લૂંટ ચલાવનારો સિરિયલ કિલર 8 મહિના બાદ ઝડપાયો હતો. ત્યાર બાદ આજે મામલે વધુ એક હત્યાનો ખુલાસો થયો છે. સિરિયલ કિલર એવા મદન ઉર્ફે મોનિશ માલીએ અમદાવાદના કઠવાડા જીઆઇડીસી પાસે વિરાટનગરમાં રહેતા વિશાલ પટેલ નામના યુવકની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. માત્ર એટલું જ નહીં, સિરિયલ કિલરે જે ત્રણ વ્યક્તિની હત્યા કર્યા બાદ ચલાવેલી લૂંટનો માલ મૃતક વિશાલ પટેલને જ વેચ્યો હતો. મદને હત્યા બાદ લાશને ગટરમાં ફેંકી દીધી હતી અને મૃતકની કારને પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here