અમદાવાદમાં BRTS બસે બાઈક સવારને હડફેટે લેતાં બે સગા ભાઈઓના મોત

0
1282

અમદાવાદમાં પાંજરાપોળ પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે જ બે લોકોના મોત થતા રાહદારીઓ રોષે ભરાયા હતા અને બસમાં તોડફોડ કરી હતી. બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. હાલ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યુ છે અને તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં પાંજરાપોળ પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે જ બે લોકોના મોત થતા રાહદારીઓ રોષે ભરાયા હતા અને બસમાં તોડફોડ કરી હતી.

બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. હાલ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યુ છે અને તપાસ હાથ ધરી છે. BRST બસે બાઇક ચાલકને અડફેટે લીધા છે. બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. પાંજરાપોળ પાસે આ અકસ્માત સર્જાયો છે.બાઈકચાલકે માથે હેલમેટ પહેર્યુ હોવા છતાં પણ મોત થતા શહેરમાં ચર્ચાએ જોર પકડ્યુ છે. રસ્તા ઉપર જ લોકો રસ્તા રોકો આંદોલન ઉપર બેસી ગયા છે. અકસ્માતમાં મોત થવાને પગલે આજે અમદાવાદમાં ઘમાસાણ મચ્યુ છે જેમાં વિપક્ષના નેતાએ પણ ભડકાવનારુ નિવેદન આપતા લોકો ઓર રોષે ભરાયા છે. બસને તોડફોડ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here