કોંગ્રેસે ક્યારેય આતંકવાદી હુમલાની નિંદા કેમ નથી કરી? : ગૃહમંત્રી અમિત શાહ

0
235

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘કોંગ્રેસના શાસનકાળમાં અવારનવાર આતંકી હુમલાઓ થતા હતા. પાકિસ્તાની આતંકવાદીઓ ભારતીય સૈનિકોની હત્યા કરી દેતા હતા. પરંતુ તત્કાલીન સરકારે ‘વોટ બેંક’ની રાજનીતિ માટે ક્યારેય તેની નિંદા નથી કરી. 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર હોવાથી આવા હુમલા થવા અશક્ય છે.