ગાંધીનગરનો સ્થાપના દિવસ ધામ ધૂમ થી ઉજવાશે

0
825

ગુજરાતના પાટનગર ગાંધીનગરના ૫૬માં સ્થાપના દિન હર્ષોલ્લાસ સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી માટે ‘ સેવા એ જ ધર્મ ‘ના સૂત્ર ને સાર્થક કરતા આસ્થા સેવા યજ્ઞ – ગાંઘીનગર ના
સ્થાપક – પ્રમૂખ શ્રી હેમરાજભાઈ રામજીભાઈ પાડલીયા સેવાના સાર્થક રૂપને વિરાટ સ્વરૂપ આપી રહ્યા છે . સમગ્ર ગાંધીનગરમાં વિવિધ સંસ્થાઓને સંયોજન , સહયોગ થી સાંકળી એક ભવ્ય સેવા કાર્યને સ્વરૂપ આપી રહ્યા છે. જેમાં ઋષિવંશી સમાજ સેવા ફાઉન્ડેશન,
કચ્છ-સૌરાષ્ટ્ર સમાજ સેવા ટ્રષ્ટ તેમજ યુવા ફોર ન્યુ ઈન્ડીયા , શ્રી લોક કલ્યાણ ટ્રષ્ટ જેવી ૨૧ સેવાકાર્ય કરતી સંસ્થા ઓ ગાંઘીનગર નગરી ના નિવાસી તથા ગુજરાત તથા ભારતવર્ષમાં માથી આવી વસેલા ગાંઘીનગર ને કર્મ ભુમિ જન્મ ભુમિ
માની વસતા તમામ ગાંઘીનગર વાસી ઋણ અદા કરવા આકાર્યને ઉદેશી ગાંધીનગરના દરેક સેકટરો માં અંદાજિત (૩૩ ) સ્થળોએ સેવાના માધ્યમથી ગાંધીનગરમાં વસતા લોકો ની કર્મભૂમિ છે. તો કોઈ ની જન્મભૂમિ છે. જેનું ઋણ ચૂકવવા
‘સૌનો સાથ અટલ વિશ્વાસ’ સાથે માં પ્રકૃતિ દેવીના ઋણ અદા કરવા માટે

(1) એમ્બુલન્સ
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હોસ્પિટલ થી ઘર સુધી પહોંચાડવાના ઉમદા વિચાર સાથે સેવાના માધ્યમથી ૧૦૮ ની જેમ રિટર્ન -૮૦૧ – ના નામ ની એમ્બ્યુલન્સની ગાંધીનગરની પ્રજાને લોકાર્પણ કરવામાં આવશે સાથે

(2) ચિત્ર સ્પર્ધા
ગાંધીનગર માં વસતા બાળકોના સર્વાંગી કૌશલ્યને ઉજાગર કરવા ચિત્ર સ્પર્ધાનું આયોજન જેમાં “મારી કલ્પનાનું ગાંધીનગર” ના દિવ્ય સ્વપ્ન ને સાર્થક સમા વિષય વિચારને વાચા આપવામાં આવી રહી છે.
(3) વૃક્ષારોપણ

(4) સંન્માન
સાથે મુક્તિધામ સ્ટાફ જેઓએ કોરોના સમય માં માનવ કલ્યાણ કાર્ય કરેલ છે જેથી તેઓનું વોરિયર્સ તરીકે સન્માન સત્કાર્ય

(5) કેક
દરેક સેક્ટર
માં માઈક સાથે દેશભક્તિ સોંગ્સ વાગશે સાથે સ્ટેજ સહિત ‘ કેક ‘ કટિંગ કરવામાં બાળકોના દ્વારા કરવામાં આવશે.

(6) પ્રસાદ
દરેક સેકટર માં આયોજન સ્થળ પર જ બાળકોને નાસ્તા ની વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે.

(7) દીપક રોશની ગાંધીનગરમાં ઘરે-ઘરે
(સમી સાંજે) દીપ પ્રાગટ્ય સાથે રોશની
વ્યવસ્થા સ્વયંભૂ જાગૃત લોકો દ્વારા કરવામાં આવશે. બીજી ઓગસ્ટના સ્થાપના દિન રોજ સાંજે દીપ પ્રજ્જવલિત સાથે જન્મદિવસની ઉજવણી કરશે.

(8) બાળકો માટે વકૃત્વ સ્પર્ધા સાથે ઇનામ વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે માતૃવંદના ગાંધીનગર નું ઋણ ચૂકવવા અગ્રેસર સર્વે સંસ્થાઓ- સેવાકિય સંસ્થા, સ્વેછીક સંસ્થાઑ ધાર્મિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ તેમજ વિવિધ સેવા મંડળો ના એકીકરણ દ્વારા પ્રસંગને વિરાટ સ્વરૂપ આપવામાં આવી રહે છે.
આસ્થા સેવા યજ્ઞ
સ્થાપક – પ્રમુખ શ્રી હેમરાજભાઈ રામજીભાઇ પાડલીયા
માનદ મંત્રી શ્રી મહેન્દ્રભાઇ (દાસ) પટેલ
સૌરાષ્ટ્ર કચ્છ સેવા મિત્ર મંડળ ટ્રસ્ટ
જીલુંભા ધાંધલ
નરેન્દ્રભાઈ મંડિર
ઋષિવંશી સમાજ સેવા ફાઉન્ડેશન
સ્થાપક – પ્રમુખ શ્રી હેમરાજભાઈ રામજીભાઇ પાડલીયા
સહ મહામંત્રી શ્રી ભગવનદાસ વિઠ્ઠલાપરા
મંત્રી શ્રી ભાવેશ ચૌહાણ
યુવા ફોર ન્યુ ઈન્ડિયા
સંજીવ મહેતા
શ્રી લોક કલ્યાણ ટ્રસ્ટ
શ્રી મંત્રી શ્રી કુમાર લીમાની
તેમજ ગાંધીનગર ની આશરે 100 જેટલી સેવાકીય સંસ્થાઓ સહભાગી તથા અનેક શુભેચ્છકો ના સંયુક્ત પ્રયાસ થી પાટનગર ગાંધીનરમાં 57 માં સ્થાપના દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.અને સમગ્ર ગાંધીનગર પ્રજાજનો ને અપીલ કરવામાં આવી હતી કે જન્મ ભૂમિ ,કર્મ ભૂમિ નું ઋણ અદા કરવા માટે સમગ્ર ગાંધીનગર શહેર ની પ્રજાજનો એ સાંજે 02 તારીખ ના સાંજે દીપ પ્રગટાવી જન્મ ભૂમિ નું ઋણ અદા કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here