ગુજરાતને બદનામ કરનારાઓથી ચેતતા રહેજો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

0
227

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. આજથી પીએમ મોદી પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે.. વલસાડ જિલ્લાના વાપીમાં 11 કિમી લાંબો રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાને વલસાડમાં જનસભાને સંબોધી હતી.વડાપ્રધાને કોઈ પક્ષનું નામ લીધા વિના પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવા માટે ટોળકી સક્રિય થઈ છે તેનાથી ચેતતા રહેજો.