ધો-10 અને 12ના બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે જ : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

0
527

રાજ્યનાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા રદ્દ કરવાનો ઇન્કાર કરી દીધો છે, અને કહ્યું છે કે આ પરીક્ષા 15 જુલાઈથી શરૂ થશે અને તે માટેનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા તે અંગેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ધોરણ 10 અને 12નાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ભૂપેન્દ્રસિંહએ કહ્યું કે ધોરણ 12 સાયન્સ બાદ JEE અને NEETની પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ ગુજકેટની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાશે. આ તમામ પરીક્ષાની તારીખો એક જ ન થાય તે માટે હમણાં જાહેરાત કરવામાં આવી નથી. 1 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here