મુકેશ અંબાણીએ સોમનાથ દાદાના દર્શન કર્યા :1.51 કરોડનું અનુદાન આપ્યું

0
298

રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણી મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ ધામ ખાતે મહાદેવના દર્શન કરવા પહોંચ્યા છે. અહીં તેઓ સોમનાથ મહાદેવના દર્શન પૂજન તેમજ અભિષેક કરશે.  મહાશિવરાત્રીના પાવન પર્વ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશભાઈ અંબાણી તેમજ તેમના પુત્ર અને રિલાયન્સ jio ના ચેરમેન આકાશભાઈ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા.સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.