રાઘવ ચઢ્ઢા સાથેના લગ્નના સમાચાર પર પરિણીતી ચોપરાએ તોડ્યું મૌન

0
224

બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા આજકાલ પોતાની અંગત જિંદગીને લઈને ઘણી ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે પરિણીતી અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ આ દરમિયાન પરિણીતીની પ્રતિક્રિયા સામે આવી છે.

વાસ્તવમાં, પરિણીતી ચોપરા ગઈકાલે રાત્રે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેને લગ્ન અંગે પણ સવાલ પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં અભિનેત્રીએ કંઈ ન કહ્યું, પરંતુ તેણે નમ્ર સ્મિત સાથે પ્રતિક્રિયા આપી. તેણીની પ્રતિક્રિયાથી, એવું લાગતું હતું કે તે ખૂબ જ શરમાતી હતી. આપને જણાવી દઈએ કે આ દરમિયાન અભિનેત્રી સફેદ હાઈનેક સાથે બ્લેક કોટ-પેન્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.આપને જણાવી દઈએ કે એવા પણ અહેવાલ છે કે પરિણીતી ચોપરા અને રાઘવ ચડ્ડાની સગાઈ થઈ ગઈ છે. જે બાદ AAP સાંસદ સંજીવ અરોરાએ પણ રૂમર્ડ કપલને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા છે. જે બાદ બંનેના લગ્નના સમાચારની પુષ્ટિ થઈ રહી છે. જો કે, કપલ દ્વારા હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.