રાજ્યની તમામ 31 Covid હોસ્પિટલોમાં દર્દીની મફત સારવાર

0
829

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વીની કુમારે જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે કે રાજ્યની તમામ 31 Covid હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીની મફત સારવાર કરવામાં આવશે.

31 ખાનગી હોસ્પિટલો પાસે સરકારે બે મહિનાનો કરાર કર્યો છે. કરાર આધારિત તમામ પ્રકારની સારવાર મફત કરવામાં આવશે. રાજ્ય સરકારના ખર્ચે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય સરકાર દવા અને PPE કીટ આપશે. દર્દીના સારવાર કરનારા સ્ટાફમાંથી કોઇનું અવસાન થાય તો મૃતકના પરિવારજનોને 25 લાખની સહાય કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here