રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 37 કેસ નોંધાયા : શનિવારે 3,13,740 વ્યક્તિઓનું રસીકરણ

0
330

રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 37 કેસ નોંધાયા છે. જેની સામે 110 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10075 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.71 ટકા છે. અત્યાર સુધીમાં 2,93,41,544 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 3,13,740 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 6, સુરતમાં 6, વડોદરામાં 5, રાજકોટમાં 1, મહેસાણામાં 3, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જામનગરમાં 2-2, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, દાહોદ, ડાંગ, ગીર સોમનાથ, જૂનાગઢમાં 1-1 સહિત કુલ 37 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here