સંગીતકાર જોડી સાજિદ-વાજિદના વાજિદ ખાનનું મુંબઈમાં નિધન

0
807

જાણીતી સંગીતકાર જોડી સાજિદ-વાજિદના વાજિદ ખાનનું રવિવારે રાત્રે લાંબી બીમારી બાદ મોત થયું છે. 43 વર્ષીય વાજિદનું મોત મુંબઈના ચેમ્બૂર સ્થિત સુરરાણા સેઠિયા હોસ્પિટલમાં થયું, જ્યાં તે કિડની અને ગળામાં ઇન્ફેક્શન હોવાને કારણે છેલ્લા અઢી-ત્રણ મહિનાથી ભરતી હતી. સૂત્રો અનુસાર છેલ્લા ત્રણ દિવસોથી વાજિદ વેન્ટિલેટર પર હતા અને તેની સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી.

અહેવાલ છે કે કિડની અને ગળામાં ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં ભરતી થયેલ વાજિદને છેલ્લાં ઘણાં દિવસ પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો. પરંતુ અટકળો છે કે હાર્ટ એકેટને કારણે તેનું મોત થયું છે. વિતેલા વર્ષે પણ વાજિદને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર બાદ તેની એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here