સુશાંતનું અધુરુ સપનું પુર્ણ કરવા માટે અંકિતા સામે આવી

0
1069

દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સુશાંતના સપનાને પુરા કરવા માટે ફેન્સને ઝાડ રોપવા માટે અપીલ કરી છે. તેમણે લોકોને સુશાંતની યાદમાં 13 સપ્ટેમ્બર 2020ના રોજ લગભગ 1000 છોડ રોપવા માટે સુશાંતની યાદમાં 13 સપ્ટેમ્બર, 2020ના રોજ લગભગ 1000 વૃક્ષારોપણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાંતનું એક સપનું હતું કે, તેઓ 1000 વૃક્ષ રોપે. શ્વેતાએ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લક્યું કે શું આપણે એવું કરી શકીએ ? સુશાંતસિંહ રાજપુત આ સપનું પુર્ણ કરવા માટે અંકિતા લોખંડે હાલમાં જ વૃક્ષ ખરીદવા માટે પહોંચી. અંકિતાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ પોતાની માંની સાથે વૃક્ષ ખરીદતા જોવા મળ્યા હતા. અંકિતા કહે છે કે, બધાને મેસેજ આપો, વૃક્ષા રોપણ કરો. સુશાંતનાં 50 સપનાઓમાંથી એક સપનું એવું હતું કે, તેઓ 1000 વૃક્ષ લગાવશે અને આ સપનાને પુર્ણ કરવા માટે મે પોતાનાં ઘરમાં શરૂઆત કરી છે અને હું આશા રાખુ છું કે તમામ વૃક્ષો લગાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અંકિતા લોખંડે સુશાંત માટે ન્યાયની માંગ કરી રહ્યા છીએ અને દિવંગત અભિનેતાની યાદમાં સતત પોસ્ટ શેર કરી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here