અક્ષય કુમારે અબૂ ધાબીમાં બની રહેલા સ્વામી નારાયણ મંદિરની મુલાકાત લીધી

0
162

ખ્યાતનામ અભિનેતા અક્ષય કુમારે અબૂ ધાબીમાં બની રહેલા બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લીધી અને સંયુક્ત અરબ અમીરાતના પ્રથમ પરંપરાગત પથ્થરના મંદિરની શાનદાર ડિઝાઈન અને મૂર્તિ જોઈને ચોંકી ગયા હતા. અક્ષય કુમાર, ફિલ્મ નિર્માતા વાશુ ભગનાની અને બિઝનેસમેન જિતેન દોષીની સાથે બીએપીએસ હિન્દુ મંદિર જોવા માટે પહોંચ્યા હતા. જેનું મંદિરના પ્રમુખ સ્વામી બ્રહ્મવિહારીદાસે સ્વાગત કર્યું હતું. અક્ષય કુમાર અને તેમના સાથે આવેલા લોકોએ સદ્ભાવની નદીઓ નામના એક પ્રદર્શનમાં લઈ જવામાં આવ્યા હતા. જે બીએપીએસ હિન્દુ મંદિરની ઉત્પતિની એક ઝલક બતાવે છે. જેને 1997માં પ્રમુખ સ્વામી મહારાજે સદ્ભાવ અને શાંતિ માટે પ્રાર્થના દ્વારા બતાવ્યું હતું.ત્યાર બાદ અક્ષય કુમારે એક પ્રાર્થના સમારંભમાં ભાગ લીધો અને મંદિરના નિર્માણમાં એક ઈંટ રાખી હતી. જ્યારે સ્વામીએ અલગ અલગ દેવી-દેવતાઓના સાત શિખરોમાંથી એક નીચે જટિલ નકસીકામને જોયું તો, અક્ષય કુમારને નવાઈ લાગી હતી. મંદિરના ચબૂતરમાં ચારેતરફના નક્સીકામને જોયું. તે સંબંધિત દેવતાની જીવનગાથાને દર્શાવે છે. જે તેને બનાવવામાં દેખાડેલ શિલ્પ કૌશલ અને ભક્તિને પ્રદર્શિત કરે છે. અક્ષય કુમાર અને સ્વામી બ્રહ્મવિહારીદાસે સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાનની ઉદારતા માટે ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સંયુક્ત અરબ અમીરાતમાં તેને વૈશ્વિક સદ્ભાવના આધ્યાત્મિક નખલિસ્તાનને વાસ્તવિક ધરાતલ પર લાવવામાં ભારતના પ્રધાનમંત્રી મોદીના નિરંતર સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો.