અમદાવાદમાં ચિરિપાલ ગ્રુપ પર IT ના દરોડા, 200 જેટલા અધિકારીઓ તપાસમાં સામેલ

0
249

શહેરમાં ફરીથી ઇન્કમટેક્સના દરોડાથી ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ અને સુરતમાં ચિરિપાલ ગ્રુપની ઓફિસ પર મંગળવારની રાતથી દરોડા પાડવામાં આવ્યા છે. હાલ અમદાવાદની આંબલી અને શિવરંજની સહિતની ચિરિપાલ ગ્રુપની ઓફિસ પર દરોડા પાડીને તપાસ ચાલી રહી છે. આ સાથે અમદાવાદની વિવિધ ઓફીસો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ કંપની ટેક્સ ટાઈલ, કેમીકલ્સ, રિયલ એસ્ટેટ, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. મળતી માહિતી પ્રમાણે, હાલ કુલ 200 જેટલા અધિકારીઓ આ દરોડાની કામગીરીમાં સામેલ છે.

શહેરના બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ સાથે વેદપ્રકાશ ચિરીપાલ, બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં કુલ 35 થી 40 જગ્યા પર આ દરોડા પાડીને ઇન્કમટેક્સ વિભાગે તપાસ શરૂ કરી છે. આ દરોડામાં કુલ 200 જેટલા અધિકારીઓ સામેલ થયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here