રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા

0
253

શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે આજે દેશના નવા રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવી છે . રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ પહેલા વિક્રમસિંઘે 6 વખત વડાપ્રધાન રહી ચૂક્યા છે. ભૂતકાળમાં, તેમણે રાજકીય ઉથલપાથલ વચ્ચે પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા પછી ગોટાબાયા રખેવાળ પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા.

પ્રમુખપદની રેસમાં, વિક્રમસિંઘે દુલ્લાસ અલાહપેરુમા અને અનુરા કુમારા દિસાનાયકે સામે હતા. સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે મતદાન શરૂ થયું હતું. પ્રથમ વોટ સ્પીકર દ્વારા અને બીજો વોટ રાનિલ વિક્રમસિંઘેએ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here