ગુજરાતમાં કોરોના વાયરસના કારણે વધુ એક દર્દીનું મોત

0
1047

રાજ્યમાં વધુ એક કોરોના વાયરસથી સંક્રમિત દર્દીનું મોત થયું છે. આ મોત સાથે ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુનો આંકડો ત્રણ થયો છે. આજે સવારે 70 વર્ષીય પુરુષનું મોત થયું છે. તેમને ડાયાબિટિસ, હૃદય, બ્લડ પ્રેસર, કેન્સર સહિતની બીમારી હતી.
અમદાવાદમાં 85 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક અમદાવાદની મહિલા છે અને તેઓ સાઉદી અરેબિયામાં મક્કા મદિનાથી પરત ફર્યા હતા. આ પહેલા સુરતમાં એક વ્યક્તિનું કોરોના વાયરસના કારણે મોત થયું હતું. આ સાથે દેશમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 12 થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here