ગુજરાતમાં મોડી રાતે 22 IPSની બદલી…

0
233

આર બી બ્રહ્મભટ્ટને CIDના DGP બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી આશીષ ભાટીયા પાસે વધારાનો ચાર્જ હતો. ગુજરાતમાં મોડી રાતે 22 IPSની બદલી કરવામાં આવી છે. જેમાં આણંદ એસપી સહિત અલગ અલગ જગ્યાએથી 22 આઈપીએસ અધિકારીને બદલી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીલક્ષી આ બદલીમાં હજુ આગામી સમયમાં મોટા અધિકારીઓને બદલી આવે તેવી પૂરી શક્યતા છે. ભાવનગરના એએસપી હસન સફીનને અમદાવાદ શહેરના ટ્રાફિકના ડીસીપી તરીકે બઢતી સાથે બદલી કરાઈ છે. જ્યારે રાજકોટના પ્રવીણકુમારને આણંદના એસપી બનાવાયા છે.

હાલ આ બદલીઓના કારણે ટૂંક સમયમાં નવી જગ્યા પર અધિકારીઓ જલ્દીથી ચાર્જ લઈ લેશે. કારણ કે થોડા સમય બાદ ચૂંટણી જાહેર થાય તો આચાર સંહિતા પૂર્વે તેમને જગ્યા પર નિમણૂક કરવામાં આવે. હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. તે દરમિયાન આઈ પી એસ અધિકારીની બદલી થતાં હવે અન્ય આઇપીએસની પણ ટૂંક સમયમાં બદલી આવશે તેવું નક્કી થઈ ગયું છે.