ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર : 691ને A-1 ગ્રેડ અને 9,455 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ મળ્યો

0
625

ગુજરાત ઉચ્ચત માધ્યમિક બોર્ડ દ્વારા શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. રાજ્યની શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટની કોપી કાઢીને આપવામાં આવી રહી છે. કોરોનાકાળમાં સરકારે આપેલા માસ પ્રમોશનને કારણે 100 ટકા પરિણામ આવ્યું છે અને ધો. 12 સામાન્ય પ્રવાહના તમામ 4,00,127 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે જેમાં 691 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 9495 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો છે. C1 ગ્રેડ મેળવનારા એક લાખ 29 હજાર 781 વિદ્યાર્થી છે, જ્યારે C2 ગ્રેડ મેળવનારા એક લાખ આઠ હજાર 299 વિદ્યાર્થી છે.

અમદાવાદ શહેરના 38 અને ગ્રામ્યના 24 એ-1ગ્રેડમાં, સૌથી વધુ રાજકોટના 231 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. હાલમાં વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટ કાઢી આપવામાં આવે છે. શાળા દ્વારા સહી સિક્કા કરેલી માર્કશીટ આગળ પ્રવેશ માટે માન્ય ગણાશે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્કશીટ મોકલવામાં આવશે ત્યારપછી શાળામાંથી વિદ્યાર્થીઓને તે ઉપલબ્ધ થઈ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here