56 ટ્રેનો મારફત 67 હજાર શ્રમિકો વતન જશે

0
933

કોરોનાની આ મહામારીમા પોતાના વતનમાં જવા ઇચ્છુક પ્રત્યેક શ્રમિકો માટે ગુજરાત સરકારે તેમને વતન પહોંચાડવા માટે જરૂરી ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરી છે. દેશભરમાં ગત મધરાત સુધીમાં દોડેલી કુલ 364 પૈકીની 167 ટ્રેનો તો એકલા ગુજરાત રાજ્ય દ્વારા જ દોડાડવામાં આવી છે. આ દૃષ્ટિએ લગભગ 46% ના હિસ્સા સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે, જેણે મહત્તમ સંખ્યામાં શ્રમિક સ્પેશિયલ અને શ્રમજીવી ટ્રેનો દોડાવીને શ્રમિકોને તેમના માદરે વતન પહોંચાડવામાં મદદ કરી છે અને આ વધુ 56 ટ્રેનો મારફત આશરે 67,200 શ્રમિકો તેમના વતન જશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here