TMKOC: લાંબા બ્રેક બાદ તારક મહેતા…શોમાં હવે ફરીથી રંગ જમાવશે દયાબેન?

0
190

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીના લોકપ્રિય શોમાંથી એક છે. આ શો છેલ્લા 15 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરતો આવ્યો છે. આ સીરિયલ વર્ષ 2008માં ઓન એર થયો હતો. બસ ત્યારથી ફેન્સ તેને ખુબ પસંદ કરે છે. સ્ટોરીલાઈનથી લઈને એક સ્ટારકાસ્ટ સુધી દરેક ચીજને  પરફેક્ટલી દેખાડવામાં આવે છે.

જો કે આ શો અનેક વિવાદોમાં પણ ઘેરાયો. શોના કેટલાક કલાકારોએ શો સાથે નાતો તોડી નાખ્યો અને કેટલાક કલાકારોએ તો સીરિયલના મેકર્સ પર ગંભીર આરોપ પણ લગાવ્યા. શોના અનેક કલાકારોના રિપ્લેસમેન્ટ પણ આવી ચૂક્યા છે. જો કે  દયાબેનના પાત્ર માટે હજુ સુધી કોઈ નવા કલાકારને લાવવામાં આવ્યા નથી. અત્રે જણાવવાનું કે આ શોમાં દિશા વાકાણી દયાબેનનું પાત્ર ભજવતી હતી.

વાત જાણે એમ છે કે કેટલાક વર્ષો પહેલા દિશા વાકાણીએ મેટરનિટી લીવ લીધી હતી. ત્યારબાદ તે શોમાં પાછી ફરી નહીં. તે બસ એક વાર પછીથી એપિસોડમાં જોવા મળી હતી. ફેન્સ હવે તેને ખુબ મિસ કરી રહ્યા છે. આ બધા વચ્ચે એવા રિપોર્ટ્સ પણ આવ્યા કે દિશા વાકાણીએ શો છોડી દીધો છે અને મેકર્સ તેની જગ્યાએ નવા ચહેરાની શોધમાં છે. જો કે હવે એવા રિપોર્ટ્સ આવી રહ્યા છે કે દિશા વાકાણી શોમાં વાપસી કરી શકે છે.

પિંકવિલાના રિપોર્ટ મુજબ દિશા વાકાણી આ વર્ષે દિવાળી સુધીમાં શોમાં વાપસી કરી શકે છે. ફેન્સ માટે આ ખુબ રાહતના સમાચાર છે. જો કે હજુ સુધી આ રિપોર્ટ્સ વિશે કોઈ પુષ્ટિ થઈ નથી. શોના લેટેસ્ટ પ્લોટની વાત કરીએ તો જેઠાલાલ દયાબેનને ખુબ મિસ કરી રહ્યા છે. તેઓ દયાબેનને પાછા ગોકુલધામમાં જોવા માંગે છે. જેઠાલાલે દયાબેનની વાપસી અંગે જીદ પકડી છે. જેના પર સુંદરે જાહેરાત કરી છે કે દયા જલદી ગોકુલધામમાં જોવા મળશે.